July 7, 2024

રફ્તારના રાક્ષસ : સિંધુભવન પર ગંભીર અકસ્માત, એકનું મોત

અમદાવાદ: રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવતી રહે છે. ત્યારે અમદાવાદમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં એક યુવકનું મોત નીપજ્યું છે અને અકસ્માત કરનારા કાર ચાલક હાલ ફરાર છે. જેને લઇને પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.

વધુમાં પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ શહેરમાં નબીરાઓ અને વાહનોની રેસ લગાવતા તત્વો બેફામ બન્યા હોય તેમ એક બાદ એક ઘટનાઓ સામે આવી રહી છે. સિંધુ ભવન રોડ પર મોડી રાત્રે અકસ્માત થયો હતો. જેમા બાઈક ચાલક સાથે તેના મિત્રો નાસ્તો કરવા રાત્રે નીકળ્યા હતા. ત્યારે થારના ડ્રાઈવરે તેને અડફેટે લીધો હોવાની માહિતી મળી રહી છે. આ બનાવમાં ગંભીર રીતે ઘાયલ થયેલા જયદીપનું મોત થઈ ગયું છે. અકસ્માત સર્જનાર થાર ગાડીનો ચાલક બનાવના સ્થળે જીપ મૂકીને ફરાર થઈ ગયો હતો.

ત્યારે મોડી રાતે થાર અને બાઈક ચાલક વચ્ચે અકસ્માતની ઘટના સામે આવી હતી. જેમા બાઇક ચાલકને થાર ચાલકે અડફેડે લીધો હતો. જેમા 18 વર્ષીય જયદીપ સોલંકી મૃત્યુ નિપજ્યું હતું. જોકે, અકસ્માત કરી થાર ગાડી ચાલક ફરાર થઇ ગયો હતો. થાર ગાડી પુર ઝડપે ચલાવી બાઈક ચાલકને 50 ફૂટ ઉપર ઉછાળ્યો હતો. જોકે, હવે ટ્રાફિક પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.