September 19, 2024

કાયદો વ્યવસ્થાનો ચિતાર મેળવવા અમદાવાદ પોલીસ કમિશનરે બોલાવી ક્રાઇમ કોન્ફરન્સ

મિહિર સોની, અમદાવાદ: અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિનો ચીતાર મેળવવા માટે ક્રાઈમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના તમામ પીઆઈ અને ઉચ્ચ અધિકારીઓની ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં શહેરમાં હાલમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિનો ચિતાર પોલીસ કમિશનર દ્વારા મેળવવામાં આવ્યો હતો. તેમજ શહેરમાં વધુ પડતી ક્રાઈમની ઘટનાઓને લઈને પણ ચર્ચાઓ કરવામાં આવી હતી. જે રીતે શહેરના પૂર્વ વિસ્તારમાં ક્રાઈમ રેટ વધી રહ્યો છે તેમજ ગંભીર ગુનાઓ બની રહ્યા છે. આ ઉપરાંત આંગડિયા લૂંટના પણ જે પ્રમાણે બનાવો બન્યા તેને લઈને પણ ક્રાઈમ કોન્ફરન્સમાં ચર્ચા કરવામાં આવી હતી.

તો બીજી તરફ અમદાવાદ શહેરમાં વધતી જતી ગુનાખોરી વચ્ચે પોલીસ કમિશનર સબ સલામત હોવાના દાવાઓ કરી રહ્યા છે. પોલીસ કમિશનરના જણાવ્યા મુજબ ગત વર્ષ કરતાં ચાલુ વર્ષે ગુનાખોરીનો ગ્રાફ ઘટ્યો છે. તેમજ ગંભીર ગુનાઓમાં પણ ગત વર્ષ કરતાં ઓછા ગુનાઓ નોંધાયા છે. જોકે, પોલીસ દ્વારા મોટાભાગના ગુનાઓમાં ફરિયાદ નોધી તાત્કાલિક ડિટેક્શન કરવામાં સફળતા મળી હોવાનું પણ પોલીસ કમિશનરે જણાવ્યું હતું. લોકોને અજાણ્યા નંબર પરથી આવતા ફોન તેમજ અલગ અલગ લિંક પર વિશ્વાસ નહીં કરી. સાઈબર ફ્રોડથી બચવા પણ પોલીસ કમિશનર દ્વારા સલાહ આપવામાં આવી હતી.

આ ઉપરાંત પોલીસ કમિશનર નાં જણાવ્યા મુજબ ગત વર્ષ કરતાં આ વર્ષ ગુનાખોરી ઘટી છે. ઘાડ઼, લૂટ, ચોરી સહિતના ગુનાઓમાં ઘટાડો થયો છે. જોકે છેતરપિંડી નાં કેસોમાં થોડો વધારો જોવા મળ્યો છે. શહેરમાં દર વર્ષે 50 હજાર જેટલી ફરિયાદો નોંધાઈ છે જેથી અમુક ફરિયાદોમાં ફરિયાદીને કોઈ તકલીફ પડી હોય તો અલગ વાત છે. પોલીસ ઇન્સ્પેક્ટરો ને પણ પોલીસ કમિશનરે ટકોર કરતા જણાવ્યું કે કોઈ પોલીસકર્મી એ લોભ લાલચમાં આવ્યા વગર ભોગ બનનારને મદદ કરવી જોઈએ.

શહેરમાં બનતી ઘટનાઓ અને લઈને પોલીસ યોગ્ય ઉકેલ લેવા માટે સક્રિય છે જોકે વરસાદ અને કારણે અમુક વિસ્તારના સીસીટીવીઓ બંધ હાલતમાં છે જે પણ આવનારા દિવસોમાં શરૂ કરી દેવામાં આવશે તેમ પોલીસ કમિશનરે જણાવ્યું હતું.. એટલું જ નહીં પોલીસ ફરિયાદ નથી લેતી તેવા કેસમાં ગાડીઓના ગીરવે કૌભાંડમાં પોલીસની બેદરકારીને લઈને તપાસ સોપાઈ છે.