July 2, 2024

રાઉઝ એવન્યુ કોર્ટમાં Arvind Kejriwalએ જામીન અરજી દાખલ કરી

Arvind Kejriwal: દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે રાઉઝ એવન્યુ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી છે. આજે બપોરે 2 વાગ્યે તેની સુનાવણી થશે. આ પહેલા બુધવારે સુપ્રીમ કોર્ટે મેડિકલ તપાસ માટે અરવિંદ કેજરીવાલેની વચગાળાની જામીન અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો હતો.

1 જૂન સુધી જામીન મંજૂર કર્યા છે
તાજેતરમાં, સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને ચાલુ સામાન્ય ચૂંટણી માટે પ્રચાર કરવા માટે 21 દિવસના વચગાળાના જામીન આપ્યા હતા, જેની સમયમર્યાદા 1 જૂનના રોજ સમાપ્ત થઈ રહી છે, અને તેમને 2 જૂન સુધીમાં આત્મસમર્પણ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. ત્યારે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે રાઉઝ એવન્યુ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી છે. જેની સુનાવણી આજે બપોરના 2 વાગ્યે કરવામાં આવશે.

આ પણ વાંચો: ફર્સ્ટ ટાઈમ વોટરને PM Modiએ પોતાની ‘મન કી બાત’ પત્ર દ્વારા લખીને કરી

અરજીને ફગાવી દીધી
કેજરીવાલે સુપ્રીમ કોર્ટમાં પોતાની તબિયતના કારણે તેમની જામીનની મુદત સાત દિવસ વધારવા અરજી કરી હતી. અચાનક તેના વજન ઘટવા લાગ્યું છે. અચાનક છ થી સાત કિલોગ્રામ વજન ઘટવાને કારણે અનેક તબીબી પરીક્ષણો કરાવવા માટે વચગાળાની જામીનની મુદત સાત દિવસ વધારવા વિનંતી કરતી અરજી કરી હતી. જોકે કોર્ટે આ અરજીને નકારી કાઢી હતી. જસ્ટિસ જે.કે. મહેશ્વરી અને કે.વી. વિશ્વનાથનની વેકેશન બેન્ચે કેજરીવાલની વચગાળાની અરજીને ફગાવી દીધી હતી.

શું છે દિલ્હી દારૂ કૌભાંડ?
નવી લિકર પોલિસી 2021-22માં દિલ્હીમાં અમલમાં આવી હતી. ત્યારબાદ નવી પોલિસીમાં ડીલરોને ફાયદો આપવાનો આરોપ છે. લેફ્ટનન્ટ ગવર્નરે મુખ્ય સચિવ પાસેથી રિપોર્ટ માગ્યો હતો. રિપોર્ટમાં નવી પોલિસીમાં અનિયમિતતાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. નવી નીતિના કારણે 144 કરોડનું કૌભાંડ થયું હોવાના આક્ષેપો થયા છે. EDએ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો હતો. ત્યારપછી આરોપી વિજય નાયરની ધરપકડ કરી અને હવે એકબાદ એક નેતાઓની ધરપકડ કરવામાં આવી છે. મનીષ સિસોદિયાની ધરપકડ કરવામાં આવી અને ત્યારબાદ હવે કેજરીવાલને ત્રીજી વખત સમન્સ આપવામાં આવ્યું છે. પરંતુ કેજરીવાલ હાજર ગયા નહોતા. હવે એવી વાત આપના નેતાઓ કહી રહ્યા છે કે, કેજરીવાલના ઘરે EDના દરોડા આજે તારીખ 4-1-2024 ના પડી શકે છે.