September 20, 2024

’શું ભારત પાડોશીઓ પર દાદાગીરી કરે છે?’, જયશંકરનો જડબાતોડ જવાબ

નવી દિલ્હી: રાષ્ટ્રીય રાજધાનીમાં એક પુસ્તક વિમોચન સમારોહમાં વિદેશ પ્રધાન એસ જયશંકર હાજરી આપી હતી. અહીં તેમને કેટલાક સવાલો કરવામાં આવ્યા હતા. જેનો તેમને જડબાતોડ જવાબ આવ્યો છે. એસ. જયશંકરને પૂછવામાં આવ્યું હતું કે, ‘શું ભારત (ઉપખંડ અને હિંદ મહાસાગર ક્ષેત્ર) દાદાગીરી કરી રહ્યું છે’, જેના પર તેમણે ગુસ્સામાં જવાબ આપતાં કહ્યું, ‘મોટી’ દાદાગીરી કરનારા દેશ એ નથી હોતા જે પડોશી દેશો મુશ્કેલીમાં હોય ત્યારે તેમને 4.5 બિલિયન યુએસ ડૉલરની સહાય મદદ કરે.

એસ જયશંકરે કહ્યુ કે, ‘આજે વિશ્વના આ ભાગમાં મોટો બદલાવ એ છે કે જે ભારત અને તેના પડોશીઓ વચ્ચે થયું છે. જ્યારે તમે કહો છો કે ભારત એક ગુંડાગીરી કરનાર દેશ છે તો તમને ખબર હોવી જોઇએ કે, દાદાગીરી બતાવનાર દેશ પાડોશી દેશના સંકટમાં હોવા પર સાઢા ચાર અરબ ડોલરની મદદ ન કરતા. જ્યારે કોવિડ ચાલી રહ્યો હતો ત્યારે પણ દાદાગીરી કરનારા દેશની વેક્સિનની પૂર્તિ કરવા ન કરતું કે ભોજનની માંગ, ખાતરની માંગને પહોંચી વળવા માટે પોતાના નિયમોને અપવાદ બનાવતા નથી.’

એસ જયશંકરે બાંગ્લાદેશ અને નેપાળ પર વાત કરી હતી
એસ જયશંકરનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મોટા પ્રમાણમાં શેર કરવામાં આવી રહ્યો છે. તેમણે વધુમાં કહ્યું, “તમારે ભારત અને તેના પડોશી દેશો વચ્ચે ખરેખર શું બદલાવ આવ્યો છે તે જોવું જોઈએ. ચોક્કસપણે બાંગ્લાદેશ અને નેપાળ સાથે, પાવર ગ્રીડ આજના સમયમાં બનેલ છે, આજે એવા રસ્તાઓ છે જે એક દાયકા પહેલા ન્હોતા, તમારી પાસે રેલવે છે જે એક દાયકા પહેલા ત્યાં ન્હોતી અને જળમાર્ગોની પણ પહોંચ હતી. ભારતીય વ્યવસાયો બાંગ્લાદેશના બંદરોનો ઉપયોગ રાષ્ટ્રીય સારવારના આધારે કરે છે.”

ભારત અને તેના પડોશી દેશો વચ્ચે કનેક્ટિવિટી વધારવા અને સુધારવા માટે કરવામાં આવેલા કામ પર પ્રકાશ પાડતા એસ જયશંકરે કહ્યું કે નેપાળ, શ્રીલંકા, ભૂતાન, બાંગ્લાદેશ અને માલદીવ સાથે વેપાર, રોકાણ અને મુસાફરીમાં તીવ્ર વૃદ્ધિ જોવા મળી છે. શનિવારે પુસ્તક વિમોચન સમારોહમાં બોલતા એસ જયશંકરે કહ્યું, “આજે કનેક્ટિવિટી, લોકોની અવરજવર, ત્યાં થઈ રહેલા વેપાર, ત્યાં થઈ રહેલું રોકાણ, તે ખરેખર ખૂબ જ સારી વાર્તા છે અને માત્ર નેપાળ અને બાંગ્લાદેશ સાથે જ નહીં. પરંતુ શ્રીલંકા સાથે પણ અને હું કહીશ કે માલદીવ સાથેની કનેક્ટિવિટી પણ સુધરી છે.”

ભૂટાન વિશે શું કહ્યું?
તેમણે કહ્યું કે, ભૂટાન… હું તેમને ભૂલી જવા માંગતો નથી કારણ કે તેઓ સતત મજબૂત ભાગીદાર રહ્યા છે. તેથી પડોશમાં અમારી સમસ્યા, તદ્દન પ્રામાણિકપણે, માત્ર એક દેશ વિશે છે અને રાજદ્વારીમાં તમને હંમેશા આશા હોય છે. તે કરવાનું ચાલુ રાખો કારણ કે કોણ જાણે છે કે ભવિષ્યમાં એક દિવસ શું થશે.”