September 19, 2024

ચાંદીપુરા વાયરસના આજે 45 નવા પોઝિટિવ કેસ નોંધાયા, અત્યાર સુધીમાં 52નાં મોત

ગાંધીનગરઃ ગુજરાત રાજ્યમાં વાયરલ એન્કેફેલાઇટીસના કુલ 130 કેસ આવ્યા છે. તેમાં સાબરકાંઠામાં 12, અરવલ્લીમાં 7, મહિસાગરમાં 2, ખેડામાં 7, મહેસાણામાં 7, રાજકોટમાં 6, સુરેન્દ્રનગરમાં 5, અમદાવાદ કોર્પોરેશનમાં 12, ગાંધીનગરમાં 6, પંચમહાલમાં 15, જામનગરમાં 6, મોરબીમાં 5, ગાંધીનગર કોર્પોરેશનમાં 3, છોટા ઉદેપુરમાં 2, દાહોદમાં 3, બરોડામાં 6, નર્મદામાં 2, બનાસકાંઠામાં 5, બરોડા કોર્પોરેશનમાં 2, ભાવનગરમાં 1, દ્વારકામાં 1, રાજકોટ કોર્પોરેશમાં 4, કચ્છમાં 3, સુરત કોર્પોરેશનમાં 2, ભરૂચમાં 3, અમદાવાદમાં 1, જામનગર કોર્પોરેશનમાં 1, પોરબંદરમાં 1 કેસ મળી આવ્યા છે.

રાજ્યમાં ચાંદીપુરના કુલ 45 કેસો પોઝિટિવ મળ્યા છે. તેમાં સાબરકાંઠામાં 6, અરવલ્લીમાં 3, મહિસાગરમાં 1, ખેડામાં 4, મહેસાણામાં 4, રાજકોટમાં 2, સુરેન્દ્રનગરમાં 2, અમદાવાદ કોર્પોરેશનમાં 3, ગાંધીનગરમાં 1, પંચમહાલમાં 7, જામનગરમાં 1, મોરબીમાં 1, દાહોદમાં 2, બરોડામાં 1, બનાસકાંઠામાં 1, દ્વારકામાં 1, રાજકોટ કોર્પોરેશમાં 1, કચ્છમાં 1, સુરત કોર્પોરેશનમાં 1, ભરૂચમાં 1 અને પોરબંદરમાં 1 ચાંદીપુરાનો પોઝિટિવ કેસ મળી આવ્યો છે.

રાજ્યમાં આ ઘાતક વાયરસથી કુલ 52 લોકોનાં અત્યાર સુધી મોત નીપજ્યા છે. ગુજરાત રાજ્યના ઉપરોક્ત 130 કેસમાંથી કુલ 52 લોકોના મોત નીપજ્યા છે. તેમાં સાબરકાંઠામાં 2, અરવલ્લીમાં 3, મહિસાગરમાં 2, ખેડામાં 2, મહેસાણામાં 2, રાજકોટમાં 4, સુરેન્દ્રનગરમાં 1, અમદાવાદ કોર્પોરેશનમાં 5, ગાંધીનગરમાં 2, પંચમહાલમાં 6, જામનગરમાં 3, મોરબીમાં 3, ગાંઘીનગર કોર્પોરેશનમાં 2, દાહોદમાં 2, બરોડામાં 2, નર્મદામાં 1, બનાસકાંઠામાં 3, બરોડા કોર્પોરેશનમાં 1, દ્વારકામાં 1, કચ્છમાં 2, સુરત કોર્પોરેશનમાં 1, ભરૂચમાં 1 તેમજ જામનગર કોર્પોરેશનમાં 1 દર્દીનું મોત નીપજ્યું છું.