October 28, 2024

“ગમે ત્યારે થઈ શકે છે મારી હત્યા”, પપ્પુ યાદવે લખ્યો કેન્દ્રીય ગૃહ મંત્રાલયને પત્ર

Pappu Yadav Death Threat: ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ તરફથી બિહારના સાંસદ રાજેશ રંજન ઉર્ફે પપ્પુ યાદવને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. પપ્પુ યાદવે આ અંગે બિહાર પોલીસને ફરિયાદ કરી છે અને કેન્દ્રીય ગૃહ મંત્રાલયને પત્ર લખીને આની માહિતી આપી છે. પપ્પુ યાદવે ગૃહ મંત્રાલય પાસે ‘Z’ કેટેગરીની સુરક્ષાની માંગણી કરી છે. પપ્પુએ કહ્યું કે અત્યારે મને Y કેટેગરીની સુરક્ષા આપવામાં આવી રહી છે. પરંતુ સતત ધમકીઓને કારણે જીવને જોખમ છે. જો સુરક્ષા નહીં વધારવામાં આવે તો ગમે ત્યારે મારી હત્યા થઈ શકે છે.

પપ્પુ યાદવે કહ્યું, મને લોરેન્સ ગેંગ તરફથી ધમકીઓ મળી રહી છે અને જો મારી હત્યા થશે તો તેના માટે સરકાર જવાબદાર હશે. પપ્પુએ દરેક જિલ્લામાં પોતાના માટે પોલીસ એસ્કોર્ટ અને સ્થળ પર કડક સુરક્ષાની પણ માંગ કરી છે.

 

‘સુરક્ષા પ્રત્યે સરકાર નિષ્ક્રિય’
પપ્પુએ કહ્યું કે લોરેન્સ બિશ્નોઈ ગેંગ દેશમાં સતત ઘટનાઓને અંજામ આપી રહી છે. એક રાજકીય વ્યક્તિ હોવાને કારણે મેં લોરેન્સ બિશ્નોઈ ગેંગનો વિરોધ કર્યો હતો, જેના કારણે ગેંગના પ્રમુખે મારા મોબાઈલ પર મને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. પરંતુ સરકાર સુરક્ષા પ્રત્યે નિષ્ક્રિય દેખાઈ રહી લાગે છે. લાગે છે કે મારી હત્યા બાદ જ લોકસભા અને વિધાનસભા શોક વ્યક્ત કરવા સક્રિય થશે. પપ્પુએ પત્રમાં એમ પણ જણાવ્યું કે આ પહેલા પણ મારા પર અને મારા પરિવારના સભ્યો પર હુમલો થયો હતો. નેપાળના માઓવાદી સંગઠન સહિત અનેક વખત જાતિવાદી ગુનેગારોએ ઘાતક હુમલા કર્યા છે. ભગવાનની કૃપાથી હું બચી ગયો.

‘સુરક્ષાના અભાવનો ગેરલાભ લઈ રહ્યા છે અપરાધીઓ’
પપ્પુ યાદવે કહ્યું, જ્યારે નેપાળના ઉગ્રવાદી સંગઠન માઓવાદીએ મારા મોબાઈલ પર ધમકી આપી હતી, ત્યારે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મને 2015માં Y પ્લસ (થ્રેટ) સુરક્ષા હેઠળ મૂક્યો હતો. જો કે, 2019 માં મારી સુરક્ષા ઘટાડીને Y કેટેગરીની કરી દીધી હતી. મારા સુરક્ષા કવચના અભાવનો લાભ લઈને લોકસભાની ચૂંટણી દરમિયાન અનેક હત્યાઓ શાતીર ગુનેગારે ફેસબુક પર લાઇવ કરીને મારા માટે અપશબ્દો કહ્યા અને મારી સાથે દુર્વ્યવહાર કર્યો. ઘરમાં ઘૂસીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે સરકારને લેખિત માહિતી આપવામાં આવી હતી. પરંતુ આ તરફ ધ્યાન આપવામાં આવ્યું ન હતું.