May 10, 2024

ICMR રિપોર્ટ: 45 ટકા ડોક્ટરો અધૂરા પ્રિસ્ક્રિપ્શન લખી રહ્યા છે

અમદાવાદ: ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચમાં ખુલાસો થયો છે. જેમાં કહેવામાં આવ્યું કે 45 ટકા ડોક્ટરો અધૂરા પ્રિસ્ક્રિપ્શન લખી રહ્યા છે, જે દર્દીઓના સ્વાસ્થ્ય સાથે સીધું નુકશાન થશે. ICMRના આ રિપોર્ટ બાદ કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં આ બેદરકારીને રોકવા માટે કડક પગલાં લઈ શકે છે.

વિશ્વમાં 50% દવાઓ અયોગ્ય
એક માહિતી અનુસાર એવો અંદાજ છે કે વિશ્વભરમાં 50 ટકા દવાઓ દર્દીઓને અયોગ્ય રીતે આપવામાં આવી રહી છે. મહત્વની વાત એ છે કે લોકોને એ પણ ખબર હોતી નથી કે તેમને કઈ દવા કઈ તકલીફમાં આપવામા આવી રહી છે. રિપોર્ટ અનુસાર વિશ્લેષણ કરવામાં આવેલા 475 પેમ્ફલેટમાંથી કેટલાક સંપૂર્ણ રીતે ખોટા હોવાનું જાણવા મળી રહ્યું છે. બધા ડોકટરો નિષ્ણાત અને 18 વર્ષથી પ્રેક્ટિસ કરે છે. તેમણે આ પરીક્ષણ કર્યું હતું જેમાં આ દાવો કરવામાં આવ્યો હતો. પ્રિસ્ક્રીપ્શનમાં દવાનો ડોઝ, લેવાનો સમયગાળો, કેટલી વાર લેવી, દવાનું ફોર્મ્યુલેશન શું છે વગેરેની માહિતી દર્દીને આપવામાં આવી ન હતી.

આ પણ વાંચો: પ્રેગ્નન્સીમાં પેટ પર આવતી ખંજવાળથી આ રીતે મેળવો છુટકારો

નિયમોનું પાલન થાય છે
તમને જણાવી દઈએ કે કોઈપણ સંપૂર્ણ ખોટા કાગળો ભારતીય નિયમો અનુસાર નહોતા. આ રિપોર્ટ 475 પ્રિસ્ક્રિપ્શનોમાંથી 64 અમેરિકન એસોસિએશન ઑફ ફેમિલી ફિઝિશિયન માર્ગદર્શિકા પર આધારિત હતા. 24 અમેરિકન હાર્ટ એસોસિએશનના, 18 અમેરિકન ડાયાબિટીસ એસોસિએશનના, 54 અમેરિકન કોલેજ ઓફ રુમેટોલોજી, 64 અમેરિકન એસોસિએશન ઑફ ફેમિલી ફિઝિશિયન માર્ગદર્શિકા પર આધારિત હતા. 198 અન્ય વિદેશી તબીબી સંસ્થાઓની સૂચનાઓ પર આધારિત હતા.