September 20, 2024

‘જે લોકો કહે છે કે મોદી સરકાર 5 વર્ષ નહીં ચાલે…’, અમિત શાહએ કર્યો વિપક્ષ પર પ્રહાર

Amit Shah Attack Opposition: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રવિવારે ચંડીગઢમાં સ્માર્ટ સિટી મિશન હેઠળ બનેલા 24×7 પાણી પુરવઠા પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું. આ દરમિયાન તેમણે વિપક્ષ પર જોરદાર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, વિપક્ષને જે કહેવુ તે કહેવા દો, 2029માં ફરી એનડીએ સરકાર આવશે. વિપક્ષના લોકો જેઓ કહે છે કે સરકાર 5 વર્ષ નહીં ચાલે, હું તેમને કહેવા માંગુ છું કે મોદી સરકાર પૂરા 5 વર્ષ ચાલશે.

અમિત શાહે વધુમાં કહ્યું કે, 10 વર્ષમાં પીએમ નરેન્દ્ર મોદીએ સર્જિકલ સ્ટ્રાઈક અને એર સ્ટ્રાઈક કરી. કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનું કામ પણ પીએમ મોદીએ કર્યું. દેશની જનતાએ મોદીજીના કામ પર વિશ્વાસ કર્યો છે. લોકો ભવિષ્યમાં પણ કામ પર નિર્ભર રહેશે.

પોલીસે કોંગ્રેસના નેતાને તેમના ઘરમાં કેદ કર્યા હતા
દરમિયાન, ગૃહમંત્રી અમિત શાહની ચંડીગઢની મુલાકાતને લઈને પોલીસે યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય અધિકારી આશિષ ગઝનવીની અટકાયત કરી હતી. ગઝનવીનું કહેવું છે કે સવારે સાડા છ વાગ્યે પોલીસ તેના ઘરે પહોંચી અને તેને સાથે આવવા કહ્યું, પરંતુ તે ગયો નહીં. આ પછી પોલીસ તેના ઘરે બેસી ગઈ અને તેને ઘરની બહાર નીકળતો અટકાવ્યો. વાસ્તવમાં ગઝનવી અને તેની ટીમ સમયાંતરે ગૃહમંત્રી અમિત શાહનો વિરોધ કરી રહી છે. આને ધ્યાનમાં રાખીને પોલીસને આશંકા છે કે આ વખતે ગઝની અમિત શાહને કાળા ઝંડા બતાવી શકે છે. તેથી તેને નજરકેદ કરવામાં આવ્યો હતો.