PM મોદીએ ખડગેને ફોન કરીને તબિયત પૂછી, જાહેર સભા દરમિયાન તેમની તબિયત બગડી હતી

PM Modi called Khadge: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની તબિયત પૂછવા ફોન કર્યો હતો. જમ્મુ-કાશ્મીરમાં જનસભાને સંબોધિત કરતી વખતે તેમની તબિયત લથડી હતી. હકિકતે કોંગ્રેસ અધ્યક્ષ ખડગે જમ્મુ-કાશ્મીરના જસરોટામાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન તેમની તબિયત લથડી હતી. જાહેર સભામાં ભાષણ આપતી વખતે તેઓ બેચેની અનુભવી રહ્યાં હતા અને ચક્કર આવવા લાગ્યા હતા. આ પછી ત્યાં હાજર કોંગ્રેસી નેતાઓએ તેમને ખુરશી પર બેસાડ્યા. આ પછી તેને રૂમમાં લઈ જવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોએ તેની તપાસ કરી.

અમે ડરતા નથી: મલ્લિકાર્જુન ખડગે
થોડો આરામ કર્યા બાદ ખડગેએ ફરી રેલીને સંબોધી હતી. તેણે કહ્યું, મારે વાત કરવી છે. પણ ચક્કર આવવાને કારણે હું બેસી ગયો છું. મને માફ કરજો. તેઓ (ભાજપ) અમને આતંકિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેઓ પાકિસ્તાનની વાત કરે છે. અમે ડરતા નથી. બાંગ્લાદેશને કોણે આઝાદ કરાવ્યું? ઈન્દિરા ગાંધીએ આ કર્યું. અમે ‘જય જવાન જય કિસાન’ના નારા આપ્યા હતા. અમે પાકિસ્તાનને હરાવ્યું. લાલ બહાદુર શાસ્ત્રીએ (સરકાર) તેમને હરાવ્યા. આ કોંગ્રેસ છે.

ખડગેએ કહ્યું- હું મરવાનો નથી
રેલીના સ્થળે તબીબી સહાય મેળવ્યા બાદ ખડગેએ કહ્યું કે, અમે રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવા માટે લડીશું. ગમે તે થાય, અમે તેને છોડવાના નથી. હું 83 વર્ષનો છું, હું આટલી જલ્દી મરવાનો નથી. જ્યાં સુધી (વડા પ્રધાન નરેન્દ્ર) મોદીને સત્તા પરથી હટાવવામાં નહીં આવે ત્યાં સુધી હું જીવતો રહીશ. હું તમારી વાત સાંભળીશ. તમારા માટે લડીશ. બીજી બાજુ, ભાજપ સરકાર પર રિમોટ કંટ્રોલથી જમ્મુ-કાશ્મીર ચલાવવાનો આરોપ લગાવતા ખડગેએ કહ્યું કે, આ લોકો ક્યારેય ચૂંટણી કરાવવા માંગતા ન હતા. તેમણે સુપ્રીમ કોર્ટના હસ્તક્ષેપ બાદ જ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી હતી. ખડગેએ આરોપ લગાવ્યો કે, મોદીજી જમ્મુ-કાશ્મીરના યુવાનોના ભવિષ્યને લઈને મગરમચ્છના આંસુ વહાવી રહ્યા છે. તેમણે કહ્યું કે, 45 વર્ષમાં સૌથી વધુ બેરોજગારીનો દર મોદીજીના કાર્યકાળમાં છે.