September 20, 2024

PM મોદીએ પેરિસ પેરાલિમ્પિક્સ માટે ખેલાડીઓનો વધાર્યો ઉત્સાહ

Paris Paralympics 2024: ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પેરિસ પેરાલિમ્પિક્સમાં ભાગ લેનારા ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા. PM મોદીએ એક પછી એક તમામ ખેલાડીઓ સાથે વાત કરી હતી અને તેમને શુભેચ્છા પાઠવી. પેરાલિમ્પિક ગેમ્સ 28 ઓગસ્ટથી 8 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે. આ વખતે ભારતના 84 ખેલાડીઓ દેશનું પ્રતિનિધિત્વ કરશે.

પેરિસમાં નવા રેકોર્ડ બનાવો
PM મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી ખેલાડીઓને કહ્યું કે, તમારી યાત્રા દેશ માટે એટલી જ મહત્વપૂર્ણ છે જેટલી તે તમારા અને તમારી કારકિર્દી માટે છે. આખો દેશ તમને સાથ આપી રહ્યો છે. તેમણે કહ્યું, ‘140 કરોડ ભારતીયો તમને તેમના આશીર્વાદ મોકલી રહ્યા છે. વડાપ્રધાને પહેલા પેરા આર્ચર શીતલ દેવી સાથે વાત કરી હતી. સત્તર વર્ષની શીતલ ભારતીય ટુકડીની સૌથી યુવા સભ્ય છે અને તે પ્રથમ વખત પેરાલિમ્પિક ગેમ્સનો ભાગ બનશે.

આ પણ વાંચો: રોહિત શર્માની સફળ કેપ્ટન્સી વિશે ભૂતપૂર્વ બેટિંગ કોચે કહી આ વાત

ભાવિના પટેલ ટેબલ ટેનિસ ખેલાડી
ગુજરાતના મહેસાણાની ટેબલ ટેનિસ ખેલાડી PM મોદી સાથેની વાતમાં ભાવના પટેલે કહ્યું કે આનાથી તેને ઘણો ફાયદો થયો છે. તેમણે કહ્યું, ‘ખેલો ઇન્ડિયા પહેલે તાજેતરના વર્ષોમાં રમતગમતના વિકાસમાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. પેરા એથ્લેટ્સ માટે આ ખૂબ સારું પ્લેટફોર્મ છે અને તેનાથી તેમને એક નવી દિશા મળી છે. ભાવિનાએ કહ્યું, ‘ખેલો ઈન્ડિયાના 16 ખેલાડીઓ પેરિસ પેરાલિમ્પિક્સ માટે ક્વોલિફાય થયા છે.