October 18, 2024

થાનમાં 17 વર્ષીય સગીરા પર 8 નરાધમોનો સામુહિક બળાત્કાર, પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરી

સુરેન્દ્રનગરઃ ગુજરાત મહિલાઓ માટે ખરેખર સુરક્ષિત છે કે નહીં તે સવાલ ઉભો થાય… તેવી ઘટના રોજ સામે આવે છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકામાં સગીરા સાથે સામુહિક બળાત્કારની ઘટના સામે આવી છે.

મળતી માહિતી પ્રમાણે, સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકામાં વાડી વિસ્તારમાં 17 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મની ઘટના બની છે. 8 જેટલા નરાધમોએ 17 વર્ષની સગીરા સાથે બળજબરીપૂર્વક બળાત્કાર કર્યો હતો. આ મામલે થાન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ ફરિયાદને આધારે પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. હાલ ભોગ બનનારી સગીરાને મેડિકલ તપાસ માટે સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, નવરાત્રિમાં બીજા નોરતે વડોદરાના ભાયલી વિસ્તારમાં બનેલી સામુહિક દુષ્કર્મી ઘટનાએ ગુજરાતને હચમચાવી નાંખ્યું હતું. ત્યારબાદ સુરત અને કચ્છના માંડવીમાંથી પણ આવી ઘટના સામે આવી હતી.