May 16, 2024

આ ખેલાડી ઈજાના કારણે ટીમની બહાર!

અમદાવાદ: T20 વર્લ્ડ કપને કારણે વર્ષ 2024 ક્રિકેટ ચાહકો માટે ખૂબ ખાસ ગણવામાં આવે છે. આ ટુર્નામેન્ટ માટે તમામ ટીમોએ પૂરજોશથી તૈયારી કરી લીધી છે. શ્રીલંકાની ટીમ હવે ત્રણ મેચની T20 શ્રેણી માટે બાંગ્લાદેશના પ્રવાસે જશે. પરંતુ આ પહેલા આ ટીમનો ખેલાડી ઈજાના કારણે ટીમની બહાર થઈ ગયો છે. જેના કારણે તે આખી શ્રેણી રમી શકશે નહીં.

પેનલનું ધ્યાન આકર્ષિત કર્યું
શ્રીલંકાની ટીમ હવે ત્રણ મેચની T20 શ્રેણી માટે બાંગ્લાદેશના પ્રવાસે જશે. પરંતુ આ પહેલા ટીમને મોટો ફટકો પડ્યો છે. જેમાં ટીમનો એક ખેલાડી ઈજાના કારણે આખી શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. આ ખેલાડી બીજું કોઈ નહીં પણ એલિસ ઈસ્લામ છે. તમને જણાવી દઈએ કે એલિસે બાંગ્લાદેશમાં તાજેતરમાં રમાયેલી બાંગ્લાદેશ પ્રીમિયર લીગ T20 ટૂર્નામેન્ટમાં તેના પ્રદર્શનથી રાષ્ટ્રીય પસંદગી પેનલનું ધ્યાન આકર્ષિત કર્યું હતું.

આંગળીમાં ઈજા
એલિસે ચાલુ BPLમાં જોરદાર પુનરાગમન કર્યું હતું. તેણે 7.17ની ઇકોનોમીમાં આઠ મેચોમાં નવ વિકેટ લીધી હતી, તેમને શ્રીલંકા સામેની T20 શ્રેણીમાં સ્થાન મેળવવામાં મદદ કરી હતી. તેને 19 ફેબ્રુઆરીના રોજ સિલ્હેટ સિક્સર્સ સામેની મેચમાં ફિલ્ડિંગ કરતી વખતે આંગળીઓમાં ઈજા થઈ હતી. આ સમયે વિક્ટોરિયન્સના કોચ મોહમ્મદ સલાહુદ્દીને શુક્રવારે ક્રિકબઝ સાથે વાત કરતાં જણાવ્યું હતું કે એલિસની આંગળીને ઈજા થઈ છે હવે કદાચ તે શ્રીલંકા સામેની T20 મેચમાં રમે તેવી શક્યતા જોવા મળી રહી નથી.

આઈપીએલમાં ઈનિંગ્સ
એમએસ ધોની CSKની કેપ્ટનશીપ કરતો જોવા મળશે. એમએસ ધોનીએ આઈપીએલમાં 218 ઈનિંગ્સ રમી છે. દિનેશ કાર્તિકની વાત કરવામાં આવે તો તેણે અત્યાર સુધીમાં ઘણી સીઝન રમી છે. જેમાં તેણે IPLમાં 221 ઇનિંગ્સ રમી છે. મહત્વની વાત એ છે કે ધોનીએ પહેલાથી અત્યાર સુધી દરેક IPLરમ્યો છે. આ યાદીમાં શિખર ધવનનું નામ પણ આવે છે. તે IPLમાં ઘણી ટીમો માટે અત્યાર સુધીમાં રમી ચૂક્યો છે.