October 3, 2024

બાંગ્લાદેશ હવે જગજાહેર કરી રહ્યું છે ભારતનો વિરોધ! પોતાના રાજદૂતોને તાબડતોડ પાછા બોલાવ્યા

Bangladesh: બાંગ્લાદેશમાં શેખ હસીનાના રાજીનામા બાદ ભારતમાં આશરો લીધો હતો. પરંતુ બાંગ્લાદેશમાં ભારતીયો પર હુમલો કરવાની ઘટનાઓ સામે આવતી રહે છે. આ વચ્ચે હવે બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયે ભારત સહિત 5 દેશોના રાજદ્વારીઓને ઢાકા પાછા બોલાવવાનો આદેશ આદેશ આપ્યો છે. તેમાં ભારતના હાઈ કમિશનર મુસ્તફિઝુર રહેમાન, સંયુક્ત રાષ્ટ્રમાં કાયમી પ્રતિનિધિ મોહમ્મદ અબ્દુલ મુહિત, ઓસ્ટ્રેલિયાના હાઈ કમિશનર એમ અલ્લામા સિદ્દીકી, બેલ્જિયમમાં રાજદૂત મહેબૂબ હસન સાલેહ અને પોર્ટુગલના રાજદૂત રેજિના અહેમદનો સમાવેશ થાય છે.

આ આદેશ બાંગ્લાદેશના વિદેશ મંત્રાલય દ્વારા કોઈપણ વિલંબ વિના પાછા ફરવાની સૂચના સાથે જારી કરવામાં આવ્યો હતો. દેશની વિદેશ સેવામાં અસંતોષને કારણે અથવા અન્ય આંતરિક કારણોસર આ પગલું લેવામાં આવ્યું હોય શકે છે.

શેખ હસીનાના રાજીનામા બાદ સ્થિતિ વધુ વણસી હતી
પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના રાજીનામું અને દેશમાંથી વિદાય બાદ તાજેતરના મહિનાઓમાં બાંગ્લાદેશમાં રાજકીય પરિસ્થિતિ અસ્થિર છે. વધી રહેલા વિરોધને કારણે હસીનાએ 5 ઓગસ્ટે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું અને ભારતમાં આશરો લીધો હતો. આ પછી બાંગ્લાદેશમાં મોહમ્મદ યુનુસના નેતૃત્વમાં વચગાળાની સરકારની રચના કરવામાં આવી. દેશમાં રાજકીય અસ્થિરતાને કારણે લઘુમતી જૂથો, ખાસ કરીને હિંદુઓ પર હુમલાના આક્ષેપો થયા છે. જોકે વચગાળાની સરકારે આ હુમલાઓને ધાર્મિકને બદલે રાજકીય ગણાવ્યા છે.

આ પણ વાંચો: હરિયાણા બેરોજગારીમાં નંબર-1 કેમ? રાહુલ ગાંધીના મોદી સરકાર પર આકરા પ્રહાર

મજબૂત પરસ્પર સંબંધો જાળવવાની જરૂર છે – મોહમ્મદ તૌહીદ હુસૈન
બાંગ્લાદેશ અને ભારત વચ્ચે લાંબા સમયથી ગાઢ સંબંધો છે. બંને દેશો વચ્ચે 4,000 કિલોમીટરથી વધુની સામાન્ય સરહદ પણ છે. બાંગ્લાદેશના વિદેશ બાબતોના સલાહકાર મોહમ્મદ તૌહીદ હુસૈને કહ્યું છે કે બંને દેશોએ મજબૂત પરસ્પર સંબંધો જાળવી રાખવાની જરૂર છે. ખાસ કરીને એવા સમયે જ્યારે બાંગ્લાદેશ રાજકીય અસ્થિરતાનો સામનો કરી રહ્યું છે.