October 27, 2024

શરીરમાં આ સમસ્યા હોય તો આ ફળથી રહેજો દૂર

Fruits To Eat Or Avoid In Stone: મોટા ભાગના ફળ શરીર માટે ફાયદાકારક છે. પરંતુ ઘણી બધી બિમારીઓ એવી છે કે જેમાં તમે ઘણા ફળ ખાશો તો તમને નુકસાન થશે. આડઅસર ના થાય તેના માટે તમારે તે ફળથી ચોક્કસ બચીને રહેવું જોઈએ. પથરીની જો તમને સમસ્યા છે તો તમારે કયા ફળ ના ખાવા જોઈએ તેના વિશે અમે તમને આજે જણાવીશું.

પથરીમાં કયા ફળ ખાવા જોઈએ?

ખાટાં ફળ ખાવા જોઈએ
પથરીથી પીડિત વ્યક્તિએ વધુમાં વધુ ખાટાં ફળ ખાવા જોઈએ. આ માટે તમે તમારા આહારમાં લીંબુ, દ્રાક્ષ, નારંગી જેવા ફળોનો સમાવેશ કરી શકો છો. ખાટાં ફળ ખાવાથી ફાયદો ચોક્કસ થશે.

કેલ્શિયમથી ભરપૂર ફળો
તમારે તમારા આહારમાં એવા ફળોને એડ કરવા જોઈએ જેમાં કેલ્શિયમ વધારે હોય છે. કીવી, દ્રાક્ષ, બેરી, જેવા ફળો ખાઈ શકો છો. આ ફળો પથરીના દર્દીઓ માટે ફાયદાકારક સાબિત થાય છે.

પાણીયુક્ત ફળો
પથરીના દર્દીઓને શક્ય તેટલું વધુ પાણી પીવાની સલાહ ડોક્ટરો આપતા હોય છે. આ સિવાય પાણીથી ભરપૂર ફળ ખાવાનું કહેવાય છે. જેમાં તરબૂચ, નારિયેળ પાણી, કાકડી જેવા વધારે પાણી ફળોનો સમાવેશ થાય છે.

પથરીમાં કયા ફળ ન ખાવા જોઈએ?
જો તમને પથરીની સમસ્યા હોય તો તમારે તમામ ફળનું સેવન કરવું જોઈએ. ઘણી શાકભાજી એવી છે જેને ડાયટમાં સામેલ ન કરવી જોઈએ. જો તમને પથરી હોય તો દાડમ અને જામફળ જેવા ફળો ન ખાવાનું ટાળવું જોઈએ. રીંગણ, ટામેટા અને શક્કરિયાને પણ ઓછું ખાવાનું રાખો.

(કૃપા કરીને કોઈપણ ઉપાય પહેલા ડૉક્ટરની સલાહ લો)