‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના અભિનેતા લલિત મનચંદાએ ગળે ફાંસો ખાઈ કરી આત્મહત્યા

Lalit Manchanda: ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શોના ચાહકો માટે ખરાબ સમાચાર છે. શોનો ભાગ રહેલા અભિનેતા લલિત મનચંદાએ આત્મહત્યા કરી લીધી છે. સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ્સ એસોસિએશન (CINTAA) એ આ સમાચારની પુષ્ટિ કરી છે. જો મીડિયા રિપોર્ટ્સ પર વિશ્વાસ કરવામાં આવે તો લલિતે મેરઠમાં પોતાના ઘરમાં આત્મહત્યા કરી છે. પોલીસને લલિતનો મૃતદેહ પંખા સાથે લટકતો મળ્યો. પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો છે.
લલિતના પરિવાર પાસેથી મળેલી માહિતી મુજબ અભિનેતા રવિવારે રાત્રે તેના રૂમમાં ગયા હતા અને બીજા દિવસે સવારે જ્યારે તેના પરિવારના સભ્યો તેને ચા માટે જગાડવા આવ્યા ત્યારે તેમનો મૃતદેહ પંખા સાથે લટકતો મળી આવ્યો. પરિવારે તાત્કાલિક પોલીસને જાણ કરી. અભિનેતાના પરિવારમાં પત્ની તરુ મનચંદા, 18 વર્ષનો પુત્ર ઉજ્જવલ અને પુત્રી શ્રેયા મનચંદાને છે.
View this post on Instagram
આર્થિક સંકટને કારણે અભિનેતા હતાશ હતા
તમને જણાવી દઈએ કે લલિત છેલ્લા કેટલાક સમયથી પોતાના અંગત જીવન અને માનસિક સ્વાસ્થ્યને લઈને પરેશાન હતો. આર્થિક તંગીને કારણે તેઓ મુંબઈ છોડીને પોતાના વતન મેરઠ ગયા. અભિનેતા લાંબા સમયથી બેરોજગાર હતા. આ કારણે તે ડિપ્રેશનમાં જતા રહ્યા હતા. કોવિડ પછી તેમને કોઈ કામ મળતું ન હતું. તારક મહેતા ઉપરાંત લલિત ઘણા ક્રાઈમ શોનો ભાગ રહી ચૂક્યા છે.
આ પણ વાંચો: પહલગામ આતંકવાદી હુમલા વચ્ચે એર ઈન્ડિયાની મોટી જાહેરાત, મુસાફરોને આપી આ રાહત