વરાછામાં હનીટ્રેપમાં ફસાયેલા વેપારીએ જીવ ટૂંકાવ્યો, વીડિયો બનાવી કર્યો આપધાત
![](https://newscapita7e21f6b31c.blob.core.windows.net/blobnewscapita7e21f6b31c/2025/02/SUSIDE-SRT.jpg)
સુરત: સુરતના વરાછામાં હનીટ્રેપમાં ફસાયેલા રેસ્ટોરન્ટ માલિકે તાપી નદીમાં કૂદી આપઘાત કર્યો છે. મૃતક યુવકનું નામ યોગેશ જાવીયા છે. રેસ્ટોરન્ટમાં કામ કરતી પરણિત મહિલા અને યોગેશ ભાગી ગયા હતા. પાંચ દિવસ બાદ પરણિત મહિલા તો આવી પરંતુ યોગેશભાઈ આવ્યા ન હતા.
યોગેશભાઈએ આપધાત પહેલા વીડિયો બનાવ્યો જેમાં હનીટ્રેપનો ઉલ્લેખ કર્યો હતો. યોગેશભાઈ પાસેથી મહિલાની જેઠાણીએ પાંચ લાખ માંગ્યાનો આરોપ લગાવ્યો છે. પાંચ લાખ નહીં આપે તો મારી નાખવાની ધમકી આપ્યાનો વીડિયોમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. મૃતક યોગેશભાઈના પત્નીએ ન્યાયની માગ કરી છે.