October 6, 2024

શું તમે જાણો છો? ATM કાર્ડ પર રૂ. 3 કરોડ સુધીનો વીમો મફતમાં મળે છે

નવી દિલ્હી: આજકાલ મોટાભાગના લોકો વીમા પોલિસીમાં રોકાણ કરે છે. જ્યારે કોઈપણ અપ્રિય ઘટના બને ત્યારે વીમા સુરક્ષા કવચ દ્વારા નાણાકીય સહાય પૂરી પાડે છે. જો કે, તમને સામાન્ય રીતે કોઈપણ વીમા પૉલિસીનો લાભ ત્યારે જ મળે છે જ્યારે તમે તેનું પ્રીમિયમ ચૂકવો છો. પરંતુ શું તમે જાણો છો કે ઈન્શ્યોરન્સ ફ્રીમાં પણ મળી શકે છે. આ સાચું છે. હકિકતે તમારું ડેબિટ કાર્ડ તમને મફત વીમા કવર પણ આપે છે. કેટલાક ડેબિટ કાર્ડ રૂ. 3 કરોડ સુધીનું મફત અકસ્માત વીમા કવચ ઓફર કરે છે. આ વિના મૂલ્યે આપવામાં વીમા કવચમાં ડેબિટ કાર્ડ ધારક પાસેથી ન તો કોઈ પ્રીમિયમ લેવામાં આવે છે અને ન તો બેંકો દ્વારા કોઈ વધારાના ડોક્યુમેન્ટની માંગ કરવામાં આવે છે.

આ પણ વાંચો : PAYTM એપમાં પૈસા ફસાઈ ગયા કે શું? 29 ફેબ્રુઆરી બાદ શું થશે? 

ચોક્કસ સમયગાળામાં ડેબિટ કાર્ડ દ્વારા વ્યવહારો કરવા પડશે
ડેબિટ કાર્ડ્સ પર મફત અકસ્માત વીમા કવચ માટે અમુક નિયમો અને શરતો છે. જેમાં સૌથી મહત્વની બાબત એ છે કે કાર્ડધારકે ચોક્કસ સમયગાળામાં તે ડેબિટ કાર્ડ દ્વારા ચોક્કસ વ્યવહારો કરવા પડશે. મફત આકસ્મિક વીમા કવચ માટે લાયક બનવા માટે યોગ્ય વ્યવહારો કરવા માટેના માપદંડો બધી બેંકોમાં અલગ અલગ હોય છે. ઉદાહરણ તરીકે, એચડીએફસી બેંક મિલેનિયા ક્રેડિટ કાર્ડ ઘરેલુ મુસાફરી માટે રૂ. 5 લાખ અને આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરી માટે રૂ. 1 કરોડનું મફત વીમા કવરેજ આપે છે. આ કાર્ડ પર વીમા પોલિસીને સક્રિય કરવા માટે કાર્ડ ધારકે 30 દિવસમાં ઓછામાં ઓછું એક ટ્રાન્ઝેક્શન કરવું પડશે. કોટક મહિન્દ્રા બેંકે ક્લાસિક ડેબિટ કાર્ડ ધારકોને મફત વીમા કવચ માટે છેલ્લા 30 દિવસમાં ઓછામાં ઓછા રૂ. 500 ના ઓછામાં ઓછા 2 વ્યવહારો પૂર્ણ કરવા આવશ્યક છે અને ડીબીએસ બેંક ઈન્ડિયા ઈન્ફિનિટી ડેબિટ કાર્ડધારકોએ વીમા કવરેજને સક્રિય કરવા માટે છેલ્લા 90 દિવસમાં એક વ્યવહાર કરવો પડશે. તામારા દ્વારા આવા વ્યવહારો બેંકમાં થયા હશે તો તમને આ લાભ મળવા પાત્ર છે.

કયા ટ્રાન્જેક્શન વીમા કવચ માટે પાત્ર હશે?
ડીબીએસ બેંકના કન્ઝ્યુમર બેંકિંગ ગ્રુપના એમડી અને હેડ પ્રશાંત જોશીએ જણાવ્યું હતું કે UPI વ્યવહારો સામાન્ય રીતે વીમા કવચ માટે પાત્ર નથી. જો કે, પોઈન્ટ ઓફ સેલ (POS) વ્યવહારો અથવા ઈ-કોમર્સ ઓનલાઈન વ્યવહારો વીમા કવરેજ માટે પાત્ર છે.