September 15, 2024

ભાજપના બે સાંસદો TMCમાં જોડાશે, કુણાલ ઘોષના દાવાથી બંગાળમાં હલચલ મચી

Two BJP MPs join TMC: ટીએમસીના વરિષ્ઠ નેતા કુણાલ ઘોષના દાવાએ બંગાળના રાજકારણમાં હલચલ મચાવી દીધી છે. તેમણે દાવો કર્યો છે કે ભાજપના બે સાંસદો 21 જુલાઈએ ટીએમસીમાં સામેલ થવા જઈ રહ્યા છે. તેમણે ગુરુવારે કહ્યું હતું કે 21 જુલાઈએ યોજાનારી શહીદ દિવસની ઉજવણી દરમિયાન ભાજપના બે સાંસદોએ તૃણમૂલ કોંગ્રેસમાં જોડાવાની ઈચ્છા વ્યક્ત કરી છે. ઘોષે કહ્યું કે તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનર્જી અને રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનર્જી તમામ પાસાઓ પર વિચાર કર્યા બાદ અંતિમ નિર્ણય લેશે.

આ પણ વાંચો: Microsoftનું સર્વર ડાઉન થતાં હડકંપ, દુનિયાભરની બેન્કિંગ અને એવિએશન સેવાઓ પર અસર

ઘોષે દાવો કર્યો કે, ‘તાજેતરમાં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં ભાજપના 12 સાંસદો ચૂંટાયા છે અને તેમાંથી બે અમારા સંપર્કમાં છે. તેમણે અમારો સંપર્ક કર્યો છે અને તૃણમૂલ કોંગ્રેસમાં જોડાવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તેઓ મમતા બેનર્જીના નેતૃત્વમાં કામ કરવા માંગે છે અને 21 જુલાઈના કાર્યક્રમ દરમિયાન પાર્ટીમાં જોડાઈ શકે છે. તેમણે કહ્યું કે આ સાંસદોની ઓળખ અત્યારે જાહેર કરી શકાય નહીં. ઘોષે કહ્યું કે આ સાંસદો તાજેતરમાં જ ચૂંટાયા છે. તેથી, તૃણમૂલ નેતૃત્વએ તેમને પક્ષપલટા વિરોધી કાયદાના દાયરામાં ન આવવા માટે થોડો સમય રાહ જોવાની સલાહ આપી છે.

આ પણ વાંચો: ભારત બનાવશે રશિયાનું ‘બ્રહ્માસ્ત્ર’? PM મોદીની મોસ્કો મુલાકાત દરમિયાન મળ્યો હતો પ્રસ્તાવ

તેમણે કહ્યું, ‘માત્ર મમતા બેનર્જી અને અભિષેક બેનર્જી જ આ મામલે અંતિમ નિર્ણય લેશે.’ બીજેપીના બંગાળ એકમના પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી સુકાંત મજુમદારે ઘોષના દાવાને નકારી કાઢ્યો અને કહ્યું, ‘કુણાલ ઘોષ વારંવાર આવા નિવેદનો આપે છે જેને ગંભીરતાથી લેવો જોઈએ નહીં. મજમુદારે કહ્યું, ‘ચાલો 21 જુલાઈ સુધી રાહ જોઈએ. ઘોષ જેવા નેતાઓના આવા જ દાવા આપણે અગાઉ જોયા છે. તેઓ પ્રચાર માટે આવા નિવેદનો કરવા માટે જાણીતા છે. ભાજપે કહ્યું કે ટીએમસી હંમેશા આવા દાવા કરે છે. હવે આ લોકોની વાતને કોઈ ગંભીરતા ન આપવી જોઈએ.