September 8, 2024

12 કલાક ડ્યુટી, 2 કલાક ઓવરટાઇમ; IT કંપનીઓ સરકાર પાસે કાયદામાં સુધારાની કરી માંગ

IT companies: આઈટી કંપનીઓએ કર્ણાટક સરકારને એક પ્રસ્તાવ રજૂ કરીને કર્મચારીઓના કામના કલાકો વધારીને 14 કલાક કરવાની માંગ કરી છે. કર્મચારીઓએ આ પગલાનો ઉગ્ર વિરોધ કર્યો છે. તેમણે સ્વાસ્થ્ય સમસ્યાઓ અને છટણીની ચિંતાઓને ટાંકીને તેને અમાનવીય ગણાવ્યું છે. ઈન્ડિયા ટુડેએ તેના એક અહેવાલમાં સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર કર્ણાટક શોપ્સ એન્ડ કોમર્શિયલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ, 1961માં સુધારો કરવા વિચારી રહી છે. આઇટી કંપનીઓ ઇચ્છે છે કે તેમના પ્રસ્તાવને સુધારામાં સામેલ કરવામાં આવે. જો સરકાર IT કંપનીઓ સાથે સંમત થાય તો કાયદાકીય કામના કલાકો 14 કલાક (12 કલાક + 2 કલાક ઓવરટાઇમ) હશે. હાલમાં શ્રમ કાયદાઓ 12 કલાક (10 કલાક + 2 કલાક ઓવરટાઇમ) સુધી કામ કરવાની મંજૂરી આપે છે.

આઇટી સેક્ટર માટેની નવી પ્રસ્તાવાં કહેવામાં આવ્યું કે, “IT/ITES/BPO સેક્ટરના કર્મચારીઓને દરરોજ 12 કલાકથી વધુ અને સતત ત્રણ મહિનામાં 125 કલાકથી વધુ કામ કરવાની જરૂર અથવા પરવાનગી આપવામાં આવી શકે છે. સૂત્રોએ જણાવ્યું હતું કે સરકારે આ મામલે પ્રાથમિક બેઠક યોજી છે અને ટૂંક સમયમાં વધુ નિર્ણય લેવામાં આવશે. કેબિનેટ દ્વારા આ પ્રસ્તાવ પર ચર્ચા થવાની શક્યતા છે.

કર્મચારીઓનો ઉગ્ર વિરોધ
કર્ણાટક સ્ટેટ IT/ITES એમ્પ્લોઇઝ યુનિયન (KITU) દ્વારા કાપનો સમય લંબાવવાના પગલાનો સખત વિરોધ કરવામાં આવ્યો છે. યુનિયને એક નિવેદન જારી કરીને ચેતવણી આપી છે કે વર્ક શિફ્ટની સંખ્યામાં ઘટાડો થવાને કારણે ત્રીજા ભાગના કર્મચારીઓ બેરોજગાર થઈ જશે. આ સુધારાથી કંપનીઓ હાલની ત્રણ શિફ્ટ સિસ્ટમને બદલે ટુ-શિફ્ટ સિસ્ટમ અપનાવી શકશે. એક તૃતીયાંશ કર્મચારીઓ બેરોજગાર થઈ જશે.

કર્મચારી સંઘે જણાવ્યું હતું કે, “KCCIના અહેવાલ મુજબ, IT ક્ષેત્રના 45% કર્મચારીઓ ડિપ્રેશન જેવી માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. 55% શારીરિક સ્વાસ્થ્ય અસરો અનુભવી રહ્યા છે. “કામના કલાકો વધારવાથી આ સ્થિતિ વધુ ખરાબ થશે.” કર્મચારી યુનિયનનો આરોપ છે કે રાજ્ય સરકાર કર્મચારીઓને માણસો નહીં પરંતુ માત્ર મશીનો માને છે અને સિદ્ધારમૈયા સરકારને વિનંતી કરી છે કે તેઓ આઇટી કંપનીઓ દ્વારા આગળ મૂકવામાં આવેલી માંગ પર પુનર્વિચાર કરે અને તેનો અમલ ન કરે.