September 8, 2024

Weather News: ભારે વરસાદથી ઉત્તરાખંડમાં તબાહી, યમુનોત્રી ધામમાં અસ્થાયી પુલ તૂટ્યો

Weather News: મુશળધાર વરસાદે ઉત્તરાખંડથી લઈને ગુજરાત અને મહારાષ્ટ્ર સુધી ભારે તબાહી મચાવી છે. છેલ્લા 24 કલાક દરમિયાન મુશળધાર વરસાદ અને ભૂસ્ખલને ઉત્તરાખંડના યમુનોત્રી ધામ અને તેના છેલ્લા સ્ટોપ જાનકીચટ્ટીમાં વિનાશ વેર્યો છે. યમુના નદીનું જળસ્તર વધી ગયું છે અને યમુનોત્રી મંદિર પરિસરના કેટલાક ભાગોને નુકસાન થયું છે. ત્યાં જ ગુજરાતના નવસારી અને મહારાષ્ટ્રના કોલ્હાપુર જિલ્લામાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ઘણા નીચાણવાળા વિસ્તારો ડૂબી ગયા છે અને લગભગ 4,000 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

ત્યાં જ ઉત્તરકાશીના યમુનોત્રી વિસ્તારમાં ગુરુવારે રાત્રે લગભગ 12 વાગ્યે શરૂ થયેલ મૂશળધાર વરસાદ શુક્રવારે સવાર સુધી ચાલુ રહ્યો હતો. આ ભૂસ્ખલન અને યમુનાના જળસ્તરમાં વધારો થવાને કારણે યમુનોત્રી મંદિર પરિસર સહિત અસ્થાયી પુલ, સુરક્ષા દિવાલ, રસોડું અને પૂજારી સભા ખંડને નુકસાન થયું છે.

આ પણ વાંચો: પેરિસ ઓલમ્પિક્સમાં ગુજરાતના ત્રણ ખેલાડીઓ કોણ?

યમુનોત્રી પુરોહિત મહાસભાના પ્રમુખ પુરુષોત્તમ ઉન્યાલે જણાવ્યું કે નદીના પાણી વધવાને કારણે ભોજન બનાવવા માટે બનાવેલા રસોડાને પણ નુકસાન થયું છે. ત્યાં જ એસડીઆરએફના જિલ્લા પ્રભારી નિરીક્ષક જગદંબા પ્રસાદ બિજલવાને જણાવ્યું હતું કે, યમુનોત્રી વિસ્તારમાં એસડીઆરએફની ટીમ તૈનાત છે, જેણે ગુરુવારે રાત્રે જ લોકોને ખતરનાક સ્થળોએથી દૂર કર્યા હતા.

હેલિકોપ્ટર દ્વારા 106 લોકોને બહાર કાઢવામાં આવ્યા
રુદ્રપ્રયાગના ગોંદર ગામમાં ગુરુવારે રાત્રે મુશળધાર વરસાદને કારણે સરસ્વતી (મોરકુંડા) નદી પર બનેલો અસ્થાયી પુલ ધોવાઈ ગયો હતો, જેના કારણે બીજા કેદાર મદમહેશ્વરનો ગૌંદર સહિત તહસીલ અને જિલ્લા મુખ્યાલય સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. બીજી તરફ બ્રિજ ધોવાઈ જવાના કારણે બંટોલીથી મંદિર તરફ જતા 106 મુસાફરો અટવાઈ પડ્યા હતા. બે હેલિકોપ્ટરની મદદથી જિલ્લા પ્રશાસને નાનુ ખાતેના અસ્થાયી હેલિપેડમાંથી તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બચાવ્યા અને તેમને રાન્સી લઈ ગયા. અહીંથી તમામ મુસાફરો પોતપોતાના ઘરે જવા રવાના થઈ ગયા છે.