September 8, 2024

મુકેશ અંબાણી પોતે આમંત્રણ આપવા ગયા, છતાં ગાંધી પરિવાર લગ્નમાં હાજરી નહીં આપે

Anant Ambani Radhika Merchant Wedding: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને ઉદ્યોગપતિ વીરેન મર્ચન્ટની પુત્રી રાધિકા મર્ચન્ટ 12 જુલાઈના રોજ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. આ લગ્નમાં દેશ-વિદેશની જાણીતી હસ્તીઓ હાજરી આપશે. આ દરમિયાન, એવું કહેવામાં આવી રહ્યું છે કે ગાંધી પરિવારનો કોઈ સભ્ય આ લગ્નમાં હાજરી આપશે નહીં. જોકે, સોનિયા ગાંધી અંબાણી પરિવારને શુભેચ્છા પાઠવશે.

આ પહેલા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી 4 જુલાઈ, 2024ના રોજ કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીને તેમના નિવાસસ્થાને મળવા 10 જનપથ પહોંચ્યા હતા. અહીં તેણે અનંત અને રાધિકાના લગ્ન માટે સોનિયા ગાંધીને આમંત્રણ આપ્યું હતું. મુકેશ અંબાણી પોતે પુત્રના લગ્નમાં ખાસ મહેમાનોને બોલાવવા ગયા હતા.

ગયા મહિને 26 જૂને મુકેશ અંબાણી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેને મળ્યા હતા અને તેમને તેમના પુત્રના લગ્ન માટે આમંત્રણ આપ્યું હતું. અનંત-રાધિકાના લગ્નમાં અનેક રાજકીય દિગ્ગજો હાજરી આપવાના છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ મુકેશ અંબાણીના પુત્રના લગ્નમાં હાજરી આપવા માટે ગુરુવારે (11 જુલાઈ 2024) મુંબઈ જવા રવાના થયા હતા.

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના ભવ્ય લગ્ન 12 જુલાઈના રોજ મુંબઈમાં મુકેશ અંબાણીના વર્લ્ડ જિયો સેન્ટરમાં થશે. આ પછી, 13મી જુલાઈએ એક શુભ આશીર્વાદ સમારોહ અને 14મી જુલાઈએ ગ્રાન્ડ રિસેપ્શન છે. આ લગ્નમાં ઘણી કંપનીઓના ગ્લોબલ સીઈઓ પણ હાજરી આપવાના છે. વિશ્વની ટોચની કંપનીઓમાં સાઉદી અરામ્કોના સીઈઓ અમીન નાસર, એચએસબીસી ગ્રુપના ચેરમેન માર્ક ટકર, એડોબના ભારતીય મૂળના સીઈઓ શાંતનુ નારાયણ, મોર્ગન સ્ટેન્લીના એમડી માઈકલ ગ્રિમ્સ, સેમસંગ ઈલેક્ટ્રોનિક્સના ચેરમેન જય લી, મુબાદલાના એમડી ખલદુન અલ મુબારક, બીપી સીઈઓ સહિત ઘણા દિગ્ગજ લોકોનો લગ્નમાં હાજરી આપશે.